ઘડિયાળનું કામ હોય છે સમય બતાવવું, પરંતુ જો આ ઘડિયાળ ખોટી જગ્યા પર લગાવી દેવામાં આવે તો તમારો સમય ખરાબ ચાલી શકે છે. આપણા બધાના ઘરમાં ઘડિયાળ હોય છે. પરંતુ લોકો અવારનવાર ઘડિયાળને ઘરની કોઈપણ દિવાલ પર લગાવી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ ઘડિયાળ વાસ્તુશાસ્ત્રનાં હિસાબથી લગાવવી જોઈએ. આખરે ઘડિયાળ લગાવવાની યોગ્ય રીતે શું છે? ચાલો તમને અમે અમારા આર્ટીકલનાં માધ્યમથી જણાવીએ.

દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ ઘડિયાળ

દક્ષિણ દિશામાં ક્યારેય પણ ઘડિયાળ લગાવી જોઈએ નહીં. કારણ કે શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશામાં કાળનો વાસ હોય છે. વાસ્તુશાસ્ત્રનું માનવામાં આવે તો દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવી અશુભ હોય છે. કારણ કે દક્ષિણ દિશામાં પરિજનોની તસવીર લગાવવામાં આવે છે. એટલા માટે દક્ષિણ દિશામાં હંમેશા અમૃત લોકોની તસ્વીરો જ લગાવવી જોઈએ, ઘડિયાળ નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ લગાવવાનું યોગ્ય સ્થાન ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશા છે. કહેવામાં આવે છે કે આ ત્રણેય દિશા પોઝિટિવ એનર્જી વાળી હોય છે.

ઘરનાં દરવાજા પર ઘડિયાળ લગાવી નહીં

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને કોઈ પણ ઘરના દરવાજા પર લગાવવી જોઈએ નહીં, તેને અશુભ માનવામાં આવે છે. દરવાજા પર ઘડિયાળને લગાવવાનો મતલબ છે કે તણાવને આમંત્રણ આપવું. તેનાથી ઘરમાં ટેન્શનનું વાતાવરણ રહે છે. આવું એટલા માટે બને છે કારણ કે દરવાજાથી પસાર થતા સમયે નકારાત્મક એનર્જીનો પ્રવાહ હોય છે.

લગાવો પેંડુલમ વાળી ઘડીયાળ

જો તમે પોતાના ઘરના ડ્રોઇંગરુમમાં પેંડુલમ વાળી ઘડિયાળ લગાવો છો, તો તે વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ હોય છે. પેંડુલમ વાળી ઘડિયાળ દર એક કલાકે ટન-ટન નો અવાજ કરે છે અને તમને સમયનો આભાસ કરાવે છે. જો તમે આવી ઘડિયાળ લગાવો છો તો ઘરમાં બરકત જળવાઈ રહે છે.

બંધ ઘડિયાળને તુરંત ફેંકી દો

ક્યારેય પણ બંધ ઘડિયાળને ઘરમાં રાખવી જોઈએ નહીં. બંધ ઘડિયાળને રીપેર કરાવી લો અથવા તો તેને ઘરથી બહાર ફેંકી દો. કોઈપણ બંધ ઘડિયાળ ઘરમાં રાખવી અશુભ હોય છે પછી તે દિવાલ પર લગાડેલી હોય કે હાથમાં લગાવવાની ઘડિયાળ હોય કે પછી ટેબલ ક્લોક હોય. વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે અટવાયેલો સમય તમારા જીવનને પણ રોકી દેતો હોય છે અને તમારા દરેક કામમાં અડચણ ઊભી કરે છે. એટલા માટે તમારા ઘરમાં જો કોઈ બંધ પડેલી ઘડીયાળ છે, તો તેને તુરંત રીપેર કરાવી લો અથવા તો તેને ભંગારમાં આપી દો.

સમય કરતાં આગળ પાછળ ન રાખો

કોઈપણ ઘડિયાળને સમય પર રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ઘડિયાળનાં સમયને આગળ-પાછળ કરીને રાખવો જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ જો પોતાના વાસ્તવિક સમયથી આગળ-પાછળ ચાલે છે, તો વ્યક્તિએ પોતાના જીવનમાં કઠિન પરિશ્રમ કરવો પડે છે. એટલા માટે ઘડિયાળને હંમેશા યોગ્ય સમય પર રાખો.

ઘડિયાળ નો આકાર

વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળનો આકાર પણ ખૂબ જ મહત્વ રાખે છે. જો તમારા ઘરમાં ગોળ, અંડાકાર, ૮ અથવા ૬ ભુજા આકાર વાળી ઘડિયાળ છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં ત્રિકોણાકાર ઘડિયાળ રાખવી જોઇએ નહિં. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારની ઘડિયાળ અશુભ હોય છે.