ધોનીએ પુણેમાં ખરીદ્યું પોતાનું એક સુંદર અને આલીશાન ઘર, જુઓ તેના ઘરની ખાસ તસ્વીરો
આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્રસિંહ ધોની આજે ભલે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચુક્યા છે, પરંતુ પોતાની પર્સનલ લાઈફને લઈને તેઓ અવાર-નવાર ચર્ચામાં છવાયેલા રહેતા હોય છે. આજનાં સમયમાં એમએસ ધોની પોતાના શાનદાર પ્રદર્શનને કારણે સફળતા અને લોકપ્રિયતા બંનેના શિખર પર પહોંચી ચુક્યા છે. આજે એમએસ ધોનીના ચાહનારા લોકોની સંખ્યા ફક્ત દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં રહેલ છે.

હાલના સમયમાં ધોની પોતાના એક નવા ઘરને લઈને ચર્ચામાં છવાયેલા છે. તેમણે હાલમાં જ પુણેનાં પીંપરી-ચીંચવડ માં એક ઘર ખરીદેલું છે. જણાવી દઈએ કે ધોનીનું આ નવું ઘર રાવેત નાં એસ્ટાડો પ્રેસિડેન્સીયલ સોસાયટીમાં આવેલું છે. વળી આ નવા ઘરની કિંમત નો ખુલાસો હજુ સુધી થયો નથી. પરંતુ આ ઘર દેખાવમાં ખુબ જ સુંદર અને આલિશાન નજર આવી રહ્યું છે.

પાછલા વર્ષે જ મુંબઈમાં પણ મહેન્દ્રસિંહ ધોની એક નવુ ઘર ખરીદ્યુ હતું, જેની અમુક તસ્વીરો ધોનીની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને હવે ધોનીએ વધુ એક નવું ઘર પુણે માં ખરીદ્યું છે.

વળી ધોનીની પત્ની સાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર સાક્ષી પોતાની અને પરિવારની સુંદર તસ્વીરો પોસ્ટ કરતી રહે છે, જે ઇન્ટરનેટ પર આવતાની સાથે જ છવાઇ જાય છે. પાછલા વર્ષે જ સાક્ષીએ પોતાના મુંબઈવાળા ઘરની અમુક તસ્વીરો શેર કરી હતી અને ગરમી અમુક શાનદાર ઝલક બતાવી હતી. જણાવી દઈએ કે ધોનીનું ઘર હાલમાં અંડર કન્સ્ટ્રક્શન છે અને તેમાં કામ ચાલી રહ્યું છે. ખુબ જ જલ્દી ઘર બનીને તૈયાર થઇ જશે.

તે સિવાય હાલમાં જ સાક્ષી એ પોતાના પેટ ડોગ અને પોતાના ઘોડાને પણ ફેન્સ સાથે રૂબરૂ કરાવ્યા હતા.

જણાવી દઈએ કે આજના સમયમાં મહેન્દ્રસિંહ ધોની ૪ આલિશાન ઘર અને ૧ ફાર્મ હાઉસનાં માલિક બની ચુક્યા છે. વળી તેમનું બાળપણ કોલોનીનાં બે રૂમ વાળા ઘરમાં પસાર થયેલું છે. પરંતુ ધોની સખત મહેનત ધગશ અને આવડતના દમ પર આજે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.

જણાવી દઈએ કે ધોનીએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં ખુબ જ પરિશ્રમ કરેલો હતો અને ત્યારબાદ તેને સફળતા મળવાની શરૂઆત થઇ હતી. ધોની વર્ષ ૨૦૦૯માં હરમુ રોડ ઉપર ત્રણ માળનું એક મકાન ખરીદ્યું હતું, જેનું નામ શૌર્ય છે અને પોતાના આ ઘરમાં ધોની અંદાજે ૮ વર્ષ સુધી રહ્યા હતા.
રાંચીમાં આલીશાન ફાર્મ હાઉસ

હાલનાં દિવસોમાં ધોની પોતાના સમગ્ર પરિવારને સાથે પોતાના રાંચી વાળા ફાર્મ હાઉસ પર સમય પસાર કરી રહેલ છે અને ધોનીના ફાર્મ હાઉસનું નામ “કૈલાશપતિ” છે. તેમનું આ ફાર્મ હાઉસ સાત એકરમાં ફેલાયેલું છે અને અંદરથી દેખાવમાં ધોનીનું આ ફાર્મ હાઉસ ખુબ જ સુંદર અને આલિશાન નજર આવે છે. આપણા ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં લગભગ બધા જ ખેલાડીઓ આ ફાર્મ હાઉસમાં જઈને તેની સુંદરતાનો આનંદ ઉઠાવી ચૂક્યા છે.

જણાવી દઈએ કે આ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલ થી લઈને ઇન્ડોર સ્ટેડિયમ અને જીમ જેવી ઘણી સુવિધાઓ રહેલી છે. આઇપીએલ ૨૦૨૧ સ્થગિત થયા બાદ થી ધોની પોતાના સમગ્ર પરિવારને સાથે આ ફાર્મ હાઉસમાં રહે છે.
Post a Comment