મૃ-ત્યુને આપણાથી દુર રાખે છે શિવજીનો આ એક મંત્ર, મહાશિવરાત્રી પર જાપ કરો શિવજીનાં આ ૫ ચમત્કારી મંત્ર

 કહેવાય છે મહામૃત્યુંજય મંત્રનાં જાપથી મૃ-ત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. ખાસ કરીને શ્રાવણ અને મહાશિવરાત્રી જેવા અવસર પર તેનો જાપ કરવાથી શિવજી ખુબ જ જલ્દી પ્રસન્ન થાય છે. હાલનાં સમયે મહાશિવરાત્રી ૧ માર્ચનાં રોજ આવી રહી છે. તેવામાં આ દિવસે તમે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને તમારું આયુષ્ય વધારી શકો છો.

આ રીતે થઈ હતી મહામૃત્યુંજય મંત્રની રચના

મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિની કહાની પણ ખુબ જ દિલચસ્પ છે. પૌરાણિક કાળમાં મુકણ્ડ નામનાં એક ઋષિ રહેતા હતાં. તે શિવજીનાં મોટા ભક્ત હતાં. શિવજીની કૃપાથી તેમનાં ઘરે માર્કંડેય નામક પુત્રનો જન્મ થયો હતો. માર્કંડેય એક અલ્પઆયુ પુત્ર હતો. આ વાત જ્યારે ઋષિને ખબર પડી તો તેમણે શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી અને મહામૃત્યુંજય મંત્રની રચના કરી.

હવે જ્યારે માર્કંડેયની મૃ-ત્યુનો સમય આવ્યો તો તેમણે મહામૃત્યુંજય મંત્રનો જાપ શરૂ કર્યો. યમરાજ જ્યારે તેમને લેવા આવ્યા તો માર્કંડેય શિવલિંગને વળગી ગયા. યમરાજે તેમનાં પ્રાણ લેવા માટે પોતાનો પાશ ફેક્યો પરંતુ તેની વચ્ચે સ્વયં શિવજી પ્રગટ થયા. બાદમાં તેમણે માર્કંડેય ઋષિને અમરત્વનું વરદાન આપ્યું.

મહામૃત્યુંજય મંત્ર

“ऊं हौं जूं सः ऊं भूर्भुवः स्वः ऊं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ऊं स्वः भुवः भूः ऊं सः जूं हौं ऊं।”

આ મંત્રનો અર્થ છે, આપણે જે શિવજીને પુજીએ છીએ તેમના ત્રણ નેત્ર છે, જે દરેક શ્વાસમાં જીવનશક્તિનો સંચાર કરે છે અને સંપુર્ણ જગતનું પાલનપોષણ કરે છે.

આ  શિવ મંત્ર પણ લાભકારી

ॐ अघोराय नम:, ॐ शर्वाय नम:, ॐ विरूपाक्षाय नम:, ॐ विश्वरूपिणे नम:, ॐ त्र्यम्बकाय नम:, ॐ कपर्दिने नम:, ॐ भैरवाय नम:, ॐ शूलपाणये नम:, ॐ ईशानाय नम:, ॐ महेश्वराय नम:।

આ મંત્રમાં ભગવાનનાં ૧૦ નામ છે, જેનો જાપ કરવાથી દરેક મનોકામના પુર્ણ થાય છે. તેનો મહાશિવરાત્રી પર કે પ્રત્યેક સોમવારે જાપ કરવો જોઈએ.

ॐ ऊर्ध्व भू फट् । ॐ नमः शिवाय । ॐ ह्रीं ह्रौं नमः शिवाय । ॐ नमो भगवते दक्षिणामूर्त्तये मह्यं मेधा प्रयच्छ स्वाहा । ॐ इं क्षं मं औं अं । ॐ प्रौं ह्रीं ठः । ॐ नमो नीलकण्ठाय । ॐ पार्वतीपतये नमः । ॐ पशुपतये नम:।

આ મંત્રને મહાશિવરાત્રી કે સોમવારનાં દિવસે રુદ્રાક્ષની માળા લઈને ૧૧ માળાનો જાપ કરવો જોઈએ, તેનાથી મનની દરેક મનોકામના પુર્ણ થાય છે.

ओम तत्पुरुषाय विदमहे, महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात्।

તેને રુદ્ર ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે. તેનો સોમવાર કે મહાશિવરાત્રી પર જાપ કરવાથી જીવનનાં તમામ દુઃખ-દર્દ દુર થાય છે.

नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय। नित्याय शुद्धाय दिगंबराय तस्मे न काराय नम: शिवाय:॥

આ મંત્રનો જાપ શિવપુજા દરમિયાન કરવો જોઈએ. તેનાથી માનસિક શાંતિ મળે છે અને કામમાં ધ્યાન રહે છે. આ મંત્ર તમને દરેક સમસ્યાઓમાંથી પણ મુક્તિ અપાવે છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતાં પહેલાં કોઈ સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.