ગુજરાતીઓ માટે આવ્યા આનંદનાં સમાચાર : ગુજરાતનાં આ શહેરમાં બનશે દેશની પહેલી બુલેટ ટ્રેનનું સ્ટેશન, ટુંક સમયમાં જ પુરું થઈ જશે કામ

 દેશની પહેલી બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન સુરત હશે. બુલેટ ટ્રેન મુંબઈ થી અમદાવાદની વચ્ચે દોડશે. તેનાં માટે કોરિડોર પરિયોજનાનું ઉદ્ઘાટન વર્ષ ૨૦૧૭ માં થયું હતું. નિર્માણ એજન્સી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડનાં અધિકારીઓનાં અનુસાર કુલ માર્ગનાં ૪ સ્ટેશન વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ સ્ટેશન ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં તૈયાર થઈ જશે. બુધવારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં વિપક્ષનાં તમામ સવાલોનાં જવાબો આપ્યા હતાં. આ મહત્વાકાંક્ષી પરિયોજનામાં ભુમિ અધિગ્રહણનાં મુદ્દાઓનાં કારણે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાં નિવારણ માટે કામ કરવામાં આવી રહ્યું છે.

રેલ્વે મંત્રાલયનાં અધિકારીઓ અનુસાર મુંબઈ થી અમદાવાદ ની વચ્ચે દોડવા વાળી બુલેટ ટ્રેનની વચ્ચે ૪ સ્ટેશનનું નિર્માણ કરવા સિવાય ૨૩૭ કિલોમીટર લાંબા વાઇઅડક્ટ એટલે કે સેતુ માર્ગનું પણ નિર્માણ કરવામાં આવશે. ડિસેમ્બર વર્ષ ૨૦૨૪ સુધીમાં ગુજરાતમાં ૪ સ્ટેશન બની જશે. આ ૪ સ્ટેશનમાંથી સુરત શહેર તૈયાર થવાવાળું પહેલું સ્ટેશન હશે.

રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં કહ્યું હતું કે, “ભારતની પહેલી બુલેટ ટ્રેન વર્ષ ૨૦૨૬ માં સુરત અને બીલીમોરાની વચ્ચે દોડવા લાગશે. સુરત અને બીલીમોરાનાં માર્ગની વચ્ચેનું અંતર ૫૦ કિલોમીટરનું છે. જોકે આ મહત્વકાંક્ષી પરિયોજનામાં ભુમિ અધિગ્રહણનાં કારણે મુદ્દાઓનો સામનો કરી રહી છે. મંત્રાલયે કહ્યું કે આ મામલા પર કામ થઈ રહ્યું છે.

સંસદમાં ડોક્ટર શ્રીકાંત એકનાથ શિંદે અને ડોક્ટર સુજય રાધાકૃષ્ણ વિખે પાટીલને જવાબ આપતા મંત્રી વૈષ્ણવે બુધવારે કહ્યું કે આ પરિયોજના માટે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૯૮.૬૨% (૯૫૪.૨૮ હેક્ટર માંથી ૯૪૧.૧૩ હેક્ટર) ભુમિનું અધિગ્રહણ કરવામાં આવી ચુક્યું છે. દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પુરી ભુમિ (૭.૯૦ હેક્ટર માંથી ૭.૯૦ હેક્ટર) નું અધિગ્રહણ કરવામાં આવી ચુક્યું છે. મહારાષ્ટ્રમાં ૪૩૩.૮૨ માંથી ૨૪૪.૬૩ હેક્ટર ભુમિનું અધિગ્રહણ કરવામાં આવી ચુક્યું છે, તેમાં ૯૨૫ હેક્ટર અંગત ભુમિ સામેલ છે.

વર્ષ ૨૦૧૭ માં બુલેટ ટ્રેન કોરીડોર પરિયોજનાનું ઉદ્ઘાટન

મહત્વપુર્ણ છે કે મુંબઇ અને અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન કોરીડોર પરિયોજનાનું ઉદ્ઘાટન વર્ષ ૨૦૧૭ માં કરવામાં આવ્યું હતું અને પરિયોજના પર કામ વર્ષ ૨૦૨૩ સુધીમાં પુરું કરવાનું લક્ષ્ય હતું. ભુમિ અધિગ્રહણનાં મુદ્દાઓ અને કોરોના એ આ નિર્માણને પ્રભાવિત કર્યું છે. કોરિડોરમાં મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીમાં સ્ટેશન હશે.

ગુજરાતનાં આ આઠ જિલ્લામાંથી પસાર થશે બુલેટ ટ્રેન

મુંબઇ અને અમદાવાદની વચ્ચે ૫૦૮ કિલોમીટર લાંબી ભારતની પહેલી હાઇ સ્પીડ રેલ્વે લાઇનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ૩૫૨ કિલોમીટર માર્ગ ગુજરાતનાં આઠ જિલ્લા અને દાદરા અને નગર હવેલીનાં માધ્યમથી ૪ કિલોમીટરનાં માર્ગમાંથી પસાર થશે. ગુજરાતનાં વલસાડમાં ચૈનેજ ૧૬૭ પર પિયર નિર્માણ અને વાપી સ્ટેશનનું કાર્ય પ્રગતિ પર છે.

નવસારી જિલ્લામાં ચૈનેજ ૨૩૮ માં પિયર નિર્માણ કાર્ય ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. એન.એચ.એસ.આર.સી.એલ ના એક અધિકારીએ જણાવ્યું કે સુરત સ્ટેશનનું નિર્માણ ચૈનેજ ૨૬૪ પર શરૂ થઇ ચુક્યું છે. વળી ભરૂચ જિલ્લામાં ૩૫૮ થી ૩૬૦ ચૈનેજ ની વચ્ચે પાઈલ, પાઈલ કૈપ અને પિલ્લરનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે. જ્યારે વડોદરા જિલ્લામાં ૪૧૦ થી ૪૧૭ ની વચ્ચે પાઇલ, પાઇલ કૈપ અને પીલ્લરનું નિર્માણકાર્ય પ્રગતિ પર છે. અમદાવાદ જિલ્લામાં સાબરમતી ટર્મિનલ હબ નિર્માણનું કાર્ય પણ પ્રગતિ પર છે. આ હબ મુસાફરોને સ્પીડ રેલવે સ્ટેશનને રેલ્વે સ્ટેશન, મેટ્રો અને બસ સ્ટેશન સાથે જોડાવાની સુવિધા પ્રદાન કરશે.